Logo

Adani @ Rath Yatra

All Stories

રથયાત્રાની પુર્ણાહુતિ 'નીલાદ્રી વિજય'ની પારંપરિક ઉજવણીનું મહત્વ

ઐતિહાસિક રથયાત્રાના અંતે મંદિરમાં દેવતાઓના પરત ફરવાની વિધિને 'નીલાદ્રી વિજય' તરીકે ઓળખવામાં આવે છે. નીલાદ્રી રથયાત્રાની પુર્ણાહુતિ છે જેમાં પહંડી વિધિ પહેલાં સેવકો દ્વારા દેવતાઓને રસગોલા ચઢાવવામાં આવે છે. જેમાં અનેક રસપ્રદ ક્રિયાઓ કરવામાં આવે છે. શ્રીમંદિરના રત્નસિંહાસન જવાના એક દિવસ પહેલા, પવિત્ર ત્રિમૂર્તિઓને તેમના વિશાળ રથો પર 'આધાર પણા' નામનું એક ખાસ મીઠુ પીણું ચઢાવવામાં આવે છે. ભગવાનના હોઠ પર તેમના ઉપવાસ કે એકાદશી તોડવા માટે તે ચઢાવવામાં આવે છે.

તાજગીભર્યા સુગંધિત પીણાં 'આધાર પણા’ને બનાવવાની પ્રક્રિયા પણ અનોખી છે. સામાન્ય રીતે તેમાં દૂધ, ક્રીમ, કેળા, પનીર, કાળા મરી, જાયફળ, કપૂર, પવિત્ર તુલસીના અર્ક અને વિવિધ પ્રકારના મસાલાઓને મિશ્રિત કરવામાં આવે છે. નવ મોટા માટીના વાસણોમાં ભરી તેને ભગવાનના હોઠ સુધી પહોંચાડવામાં આવે છે, દરેક દેવતાને ત્રણ-ત્રણ વાસણોમાં પીણા ધરાવવામાં આવે છે. રાઘવદાસ મઠ, ઉડિયા મઠ અને મંદિર વહીવટીતંત્ર મળીને આ પ્રસંગને સાર્થક બનાવે છે.

પરંપરાગત રીતે દર વર્ષે માટીમાંથી બનેલા નવ નળાકાર ડિઝાઇન ધરાવતા પાત્રો નિયુક્ત કુંભાર પરિવારો દ્વારા પૂરા પાડવામાં આવે છે. ધાર્મિક વિધિઓ મુજબ માટીના ઘડાઓને તોડીને ખાતરી કરવામાં આવે છે કે તે ભગવાન સિવાય કોઈને ન મળે. માનવામાં આવે છે કે પ્રેતાત્માઓ ઢોળાયેલા પવિત્ર પીણાને પીને મોક્ષ પ્રાપ્ત કરે છે. અધરપણા વિધિ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.

ભગવાન બલભદ્ર, મહાપ્રભુ જગન્નાથ અને દેવી સુભદ્રાને 'આધાર પાન' ચઢાવ્યાના એક દિવસ પછી એટલે કે ૧૨મા દિવસે શ્રીમંદિરના ગર્ભગૃહમાં દેવતાઓનો પ્રવેશ થાય છે. 'સંધ્યા ધૂપ' પછી એક પછી એક દેવતાઓને 'ગોટી પહંડી' શોભાયાત્રામાં શ્રીમંદિરમાં લઈ જવામાં આવે છે.

મુખ્ય મંદિરમાં પ્રવેશતા પહેલા મુખ્ય દ્વાર પર ભગવાન જગન્નાથ અને મહાલક્ષ્મીના સેવકો વચ્ચે પરંપરાગત કૃત્ય યોજાયું હતું જેને જય વિજય દ્વાર કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથની પત્ની મહાલક્ષ્મીને મુખ્ય મંદિરમાં છોડી દેવાતા ગુસ્સે ભરાયેલા દેવી ભગવાન જગન્નાથના ચહેરા પર મંદિરનો દરવાજો બંધ કરે છે, અને ફક્ત ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનને મંદિરમાં પ્રવેશ આપે છે. મહાલક્ષ્મીને ખુશ કરવા અને મંદિરમાં પ્રવેશ મેળવવા માટે, ભગવાન જગન્નાથ ઓડિશાની પ્રખ્યાત મીઠાઈ, રસગોલ્લા ચઢાવે છે અને તેમને માફ કરવા વિનંતી કરે છે.

મહાપ્રભુ દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે મીઠાઈ ચઢાવે છે, જે પવિત્ર ત્રિમૂર્તિ દ્વારા શ્રીમંદિરમાં એકલા છોડી દેવાથી નારાજ છે. મહાલક્ષ્મી આખરે રાજી થાય છે અને મંદિરનો દરવાજો ખોલે છે અને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રત્ન સિંહાસન પર ફરીથી આરૂઢ થાય છે.

All Stories